NCERT GOV. GUJARAT Book change All Subject

Gujrat
0
News fect news Menu
Home અહીંયા આપવામાં આવતા સમાચાર સોશ્યિલ મીડિયા news અને સમાચાર પત્રોપર આધારિત હોય છેઃ
 
 


નેશનલ કાઉન્સિલ ઓફ એડ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) પહેલી એપ્રિલથી શરૂ થઈ રહેલા 2024-25ના વર્ષ માટે ત્રીજાથી છઠ્ઠા ધોરણ સુધીના અભ્યાસક્રમ માટે નવો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો બહાર પાડશે, જ્યારે બાકીના ધોરણો માટે અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એનસીઈઆરટીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એડ્યુકેશન (સીબીએસઈ)ને એવી જાણકારી આપી હતી કે ત્રીજાથી છઠ્ઠા ધોરણ માટે અત્યારના અભ્યાસક્રમમમાં સુધારા થઈ રહ્યા છે અને તેને ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.

શાળાને ત્રીજાથી છઠ્ઠા ધોરણ માટે નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, એમ સીબીએસઈને ડિરેક્ટર (એકેડેમિક્સ) જોસેફ ઈમેન્યુએલે જણાવ્યું હતું.

નવા અભ્યાસક્રમને ધ્યાનમાં લેતાં બોર્ડ દ્વારા એનઈપી-2020માં અપેક્ષિત શાળાના પ્રાચાર્યો અને શિક્ષકો માટે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

રમકડાં, કોયડા, કઠપુતળી, પોસ્ટર્સ, ફ્લેશકાર્ડ, વર્કશીટ અને આકર્ષક વાર્તાના પુસ્તકો પાયાના શિક્ષણ માટેના જાદુઈ પિટારાનો હિસ્સો છે. 2022માં એનસીઈઆરટીએ છઠ્ઠાથી બારમા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં સુધારો કર્યો હતો જેથી કોરોનાકાળને ધ્યાનમાં લેતાં વિદ્યાર્થીઓ પરની તાણમાં ઘટાડો થાય.

ગયા વર્ષે પ્રકાશિત પાઠ્યપુસ્તકોમાંથી મોગલ કોર્ટ, 2002ના ગુજરાત રમખાણો, શીત યુદ્ધ, મોગલ શાસકોના સંદર્ભો, કટોકટી અને સામયિક ટેબલના પાઠને બાદ કરી નાખવામાં આવ્યા હતા

[નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા કોર્ષ રિડ્યુસ કરવાની પ્રક્રિયા શરુ કરાઇ છે. બદલાઈ જશે આ ધોરણના પાઠ્યપુસ્તકો.]



નવા શૈક્ષણીક વર્ષ ૨૦૨૪/૨૫ થી નવા પાઠ્યપુસ્તકો અમલી



નવી શિક્ષણ નિતી મુજબ દેશભરના તમામ બોર્ડમાં સમાન પાઠ્યક્રમ લાગુ કરવા અને એક સરખી શિક્ષણ પ્રક્રિયાને અમલી કરવાના ભાગ રૂપે પાઠ્યપુસ્તકોમાં સુધારો કરાયો છે.

👉આ પણ વાંચો

ધો.12 સાયન્સનાં પાઠ્યપુસ્તકો બદલાશે, ધો. 9, 10માં પણ ગણિત, વિજ્ઞાન અને ભાષાનાં નવાં પુસ્તકો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ટોચના સુત્રોના જણાવ્યા પ્રમાણે, 2023-24ના શૈક્ષણીક વર્ષથી વિદ્યાર્થીઓને કાપ મુકાયેલા પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરવાનો રહેશે. આ માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નવા શૈક્ષણીક વર્ષથી નવા પાઠ્યપુસ્તકો અમલી થશે.

સામાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો બદલાશે

ગુજરાત માધ્યમિક બોર્ડના ધો.9,10ના ગણીત- વિજ્ઞાન તથા ઉચ્ચતર માધ્યમિક ધો.11-12 વિજ્ઞાન પ્રવાહના તમામ તેમજ સમાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો બદલાશે. કારણ કે આ પુસ્તકો એનસીઇઆરટીના પાઠ્યપુસ્તક પરથી ભાષાંતર કરીને તૈયાર કરાય છે. હાલમાં એનસીઇઆરી દ્વારા વિજ્ઞાન પ્રવાહના તૈયાર કરવામાં આવેલા પુસ્તકો માર્કેટમાં મુકવામાં આવ્યા છે.

નોન પ્રેક્ટિકલ મુદ્દાને દૂર કરવા જરૂરી હતા.

કોર્સ ઘટાડાથી વિદ્યાર્થીઓની સમય શક્તિની બચત થશે. આ ઉપરાંત નોન પ્રેક્ટિકલ મુદ્દાઓ છે જે અત્યારના સમયે બિનઉપયોગી છે તેવા મુદ્દાને હટાવવા જરૂરી હતી. પરંતુ પર્સન્ટાઇલ કે પાસીંગની ટકાવારીમાં બહું મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

👉આ પણ વાંચો...

આવતા વર્ષથી બદલાઈ જશે તમામ વર્ગોના પાઠ્યપુસ્તકો! નવા પુસ્તકોથી કરાવાશે અભ્યાસ, જાણો કેમ?

આ પણ વાંચો...( News 18 gujrati)

સરકારે વધુ એક કામગીરી પ્રા.શિક્ષકોને સોંપી





Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!