જ્ઞાનકુંજ
ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં કથળતા જતા શિક્ષણ ને ધ્યાનમાં આધુનિક ટેકનોલોજીકલ જમાના સાથે તાલ મિલાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે સપ્ટેમ્બર - ૨૦૧૭ થી સિલેકટેડ શાળાઓમાં આ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે.
આ પ્રોજેકટ ને 'જ્ઞાનકુંજ' એવું નામ આપવામાં આવ્યું છે. જ્ઞાનકુંજનો વિચાર મહારાષ્ટ્ર રાજયમાંથી લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજયમાં શ્રીસંદિપ ગુંડ શિક્ષકે શિક્ષણમાં ડીઝીટલ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ક્રાંતિ લાવી પ્રાથમિક શાળાઓને ખરા અર્થમાં ડીઝીટલ બનાવી છે. ગુજરાત રાજયમાંથી ભૂતપૂર્વ શિક્ષણમંત્રીશ્રી નાનુભાઇ વાનાણી અને શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓની ટીમ મહારાષ્ટ્ર રાજ્યમાં આ પ્રોજેકટ માટે અભ્યાસ અર્થે ગયેલ અને તેમાંથી વિચારણા કરી સુધારા વધારા સાથે ગુજરાત માં આ જ્ઞાનકુંજપ્રોજેકટ અમલી બનાવેલ છે.
જ્ઞાન કુંજ પ્રોજેક્ટ વિશેષ |
જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત શું આપવામાં આવે છે . |
આ પ્રોજેકટ અંતર્ગત ભણાવતા શિક્ષકોને “ટેકનોસેવી આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 7 અને 8 ના વર્ગો માટે નીચેની વસ્તુઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. 2 લેપટોપ, 2 પ્રોજેકટર, 2 IR કેમરા, 2 વ્હાઇટ બોર્ડ, 2 IR પેન, 2 સાઉંડ સીસ્ટમ, અન્ય વસ્તુઓ આ પ્રોજેકટ અંતર્ગત સંપૂર્ણ શિક્ષણ લેપટોપ અને પ્રોજેકટરનો ઉપયોગ કરીને ડીઝીટલ પદ્ધતિથી આપવામાં આવે છે. રૂ. 10000 અલગથી ગ્રાન્ટ આપવામાં આવે છે.
👉જ્ઞાન કુંજ પ્રોજેકટ અંતર્ગત નેટ કનેકશન માટે સરકાર દ્વારા શાળાઓમાં ધોરણ ૭ અને ૮ ધોરણને આવરી લીધેલ છે.
જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત અગત્ય ના પ્રશ્નો |
(1) જ્ઞાનકુંજ પ્રોજેકટનું મોડેલ કયા રાજયની શિક્ષણ પ્રણાલીમાથી પ્રેરણા લઇ ઉભુ કરેલ છે ? મહારાષ્ટ્ર
(2) વંદે ગુજરાત ચેનલો અંતર્ગત ધોરણ ૬ ને લગતા પ્રસારણ માટે સ્પેશિયલ કઇ ચેનલ પરથી પ્રસારણ કરવામાં આવે છે --- ચેનલ નં.૬
(3)વંદે ગુજરાત ચેનલો અંતર્ગત ધોરણ ૭ ને લગતા પ્રસારણ માટે સ્પેશિયલ કઇ ચેનલ પરથી પ્રસારણ ---- ચેનલ નં.૭
(4) જ્ઞાનકુંજ પ્રોજેકટ માં કયા કયા સાધનો રાજય સરકાર પૂરાં પાડશે ? -- લેપટોપ/કોમ્પ્યુટર, પ્રોજેકટર ,ir કેમેરા
(5) ડીજીટલ શિક્ષણ દ્વારા મહારાષ્ટ્ર મા પ્રાથમિક શાળાઓમાં જબરદસ્ત ક્રાંતિ લાવનાર શિક્ષકનું નામ શું છે ?
શ્રીસંદિપ ગુંડ
(6) જ્ઞાનકુંજ પ્રોજેકટમાં જોડાયેલ શિક્ષકને કયા નામે ઓળખવામાં આવે છે ? ---- ટેકનોસેવી ટીચર
(7) જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત કેટલી શાળાઓમાં વિદ્યાર્થી દિઠ પર્સનલ ટેબલેટ આપવાનો લક્ષ્યાંક છે ? ---- ૧૦૦ શાળાઓ
(8) જ્ઞાનકુંજ પ્રોજેકટમાં એજન્સી દ્વારા શિક્ષકોને કેટલો સમય તાલીમ આપવામાં આવશે ? ---- ૩ માસ
(9) જ્ઞાનકુંજ પ્રોજેકટમાં પ્રોજેકટની સફળતા-નિષ્ફળતા માટે સંપૂર્ણજવાબદારી કોની નિયત કરેલી છે ? ---- શિક્ષકની
(10) જ્ઞાનકુંજ પ્રોજેકટનું ડેઇલી રીપોર્ટીંગ કઇ રીતે કરવામાં આવશે ? ---વેબ બેઇઝ એપ્લીકેશન
(11) જ્ઞાનકુંજ પ્રોજેકટમાં શેના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે ? ---- ઇંટરરેક્ટીવ બોર્ડ દ્વારા
જ્ઞાન કુંજ મોડ્યુલ પરિપત્ર |
જ્ઞાનકુંજપ્રોજેક્ટ gyankunj project gujrat sarkar shixn vibhag ના તમામ મોડ્યુલ ,પરિપત્ર માટે અહીંયા નીચે જુવો
આ પણ વાંચો (ચંદ્રયાન અત થી ઇતિ )
WhatsApp ગ્રુપમાં જોડાવા | |
Telegram ગ્રુપમાં જોડાવા | |
YouTube Channel Subscribe કરવા | |
Google News પર Follow કરવા | |
Facebook Page Like કરવા | |
સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની બે વેબસાઈટ |
આ પણ વાંચો: ભુપેન્દ્ર પટેલ તરફથી સારા સમાચાર, ગુજરાત રાજ્યમાં 3077 તલાટીની ભરતી જાહેર
આ પણ વાંચો:પીએમ શ્રી યોજનાનો 14,500 શાળાને લાભ મળશે.
આ પણ વાંચો :રક્ષાબંધન નિબંધ ગુજરાતી | Raksha Bandhan Essay in Gujarati [PDF]
0 Comments