Hot Posts

Popular Posts

જાણવા લાયક : HOW WAY AND WHAT? ક્યાં કેવી રિતે શા માટે અને શું ?


Fact in fact માટે નીચે લિંક થી અને ફોટો થી જોડાઈ શકશો 

https://chat.whatsapp.com/Ip0wGP8kke3Kp2MuoWFYxB



👫વસંતઋતુમાં કઈ રીતે વૃક્ષોને નવાં પાંદડાં ફરે છે? 



. વસંતઋતુ શરૂ થતાં દિવસો લાંબા થવા લાગે છે. સૂર્ય વહેલો ઊગવા લાગે છે અને મોડો આથમે છે. આથી વૃક્ષોને વધારે સૂર્યપ્રકાશ મળે છે. તડકો વધવાથી હવા પણ ગરમ બને છે. વૃક્ષો આ બદલાવ અનુભવે છે અને વધારે સક્રિય બને છે. તરત કળીઓ બંધાવા લાગે છે ને ડાળ ડાળ પર ટચૂકડાં પોપટી-લીલાં, કૂણાં-કૂણાં પાંદડાં ફૂટવા  લાગે છે. વળી, પાંદડાં સૂર્યપ્રકાશમાંથી વૃક્ષ માટે ખોરાક બનાવવા લાગે છે. પાનખરમાં હાડપિંજર જેવું થઈ ગયેલું વૃક્ષ પાંદડાં ફૂટવાથી ઘટાદાર બની જાય છે. આમ, આ ચક્ર સતત ચાલતું રહે છે.

👉દરિયો કેમ ઊભરાતો કે છલકાતો નથી?

અનેક નદીઓ વરસાદનું પાણી તથા પીગળતા બરફનું પાણી દરિયામાં ઠાલવ્યા કરે છે; આમ છતાં દરિયો ઊભરાતો નથી, કારણ કે જલચક્રને લીધે સૂર્યપ્રકાશ તથા ગરમીના કારણે દરિયાના પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. એટલે કે, તાપ-તડકાથી દરિયાનું પાણી સતત વરાળ બનીને આકાશમાં જાય છે. એ વરાળમાંથી વાદળાં બંધાય છે અને વરસાદ પડે છે. 75 ટકા વરસાદ સમુદ્રમાં પડે છે. થોડું પાણી જમીનમાં ઊતરે છે અને બાકીનું પાણી નદીઓ દ્વારા પાછું દરિયામાં આવે છે. આમ, દરિયામાંથી ઊડી જતું પાણીઅને દરિયામાં આવતું પાણી, બંને વચ્ચે સતત સમતોલન જળવાઈ રહે છે. તેથી દરિયો ઊભરાતો કે છલકાતો નથી.


👫બરફવર્ષા કઈ રીતે થાય છે?


જે ઉષ્ણતામાને પાણીનો બરફ બને એના કરતાંય હવાનું ઉષ્ણતામાન નીચું જાય છે ત્યારે વાદળાંમાંનાં પાણીનાં ટીપાં થીજી જઈને બરફના કરા બની જાય છે. વાતાવરણ વધારે ને વધારે ઠંડું થતાં, વધારે બાષ્પ ઠરતાં બરફના કરા વધારે મોટા થતા જાય છે ને નવા બરફના કરા ઉમેરાતા જાય છે તેમજ તેમનું વજન વધતું જાય છે. આથી વધારે વજનવાળા બરફના કરાને હવા અધ્ધર જાળવી શકતી નથી. પરિણામે તે બરફવર્ષા રૂપે ધરતી પર પડે છે. ઠંડા પ્રદેશોમાં વધુ બરફવર્ષા થતી જાણવા મળે છે.


👫ગ્રહણ શું છે?

આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે. આથી ઘણી વાર એક જ રેખામાં આવવાથી આવતો સૂર્યનો પ્રકાશ અવરોધાય છે. તેને ગ્રહણ કહે છે. જ્યારે સૂર્ય  વચ્ચે ચંદ્ર આવે છે ત્યારે ‘સૂર્યગ્રહણ’ થાય છે અને જ્યારે સૂર્ય અને cઆવે છે ત્યારે ‘ચંદ્રગ્રહણ’ થાય છે. ગ્રહણ પૂર્ણ અથવા આંશિક હોઈ અમાસના દિવસે અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
 (નોંધ :સૂર્યગ્રહણને નરી આંખે ક્યારેય જોવું ન જોઈએ.)








No comments:

Post a Comment